
17 સપ્ટેમ્બર 1950… ઉત્તર ગુજરાતનું પૌરાણિક નગર વડનગર. દામોદરદાસ મોદી અને હીરાબાના ઘરે જન્મ થયો એક બાળકનો.નામ નરેન્દ્ર. 6 ભાઈ-બહેનમાં ત્રીજા નંબરે જન્મેલા બાળ નરેન્દ્રનું બાળપણ સુખ-સાહેબીમાં નહીં, પણ અતિશય આર્થિક સંઘર્ષો વચ્ચે પાંગર્યું.
પરિવારનું પેટ ભરવા માટે માતા હીરાબા બીજાના ઘરે વાસણ ધોતાં, ચરખો કાંતતાં અને કપાસમાંથી રૂ નીકાળતા. માતાનો આ સંઘર્ષ જોઈ બાળ નરેન્દ્ર પણ ક્યારેક ઘરના કપડાં લઈ શર્મિષ્ઠા તળાવે ધોવા પહોંચી જતા. જ્યાં રમતની રમત પણ થઈ જતી અને પરિવારને મદદ પણ. શાળામાં બિનહરીફ મોનિટર બનનાર આ બાળક શિસ્તનો આગ્રહી તો હતો જ, પણ સાથે ટીખળી, પ્રેમાળ અને અદ્ભુત સાહસિક પણ હતો.
- માતા હીરાબા બીજાના ઘરે વાસણ ધોતાં
- ચરખો કાંતતાં અને કપાસમાંથી રૂ નીકાળતા
- બાળ નરેન્દ્ર પણ કપડાં લઈ શર્મિષ્ઠા તળાવે ધોવા જતા
બાળપણમાં મિત્રો સાથે શર્મિષ્ઠા તળાવના કિનારે બેસીને બાળ નરેન્દ્ર કહેતા કે, આ પૌરાણિક ધરોહરની જાળવણી આપણે જ કરવી પડશે. અને આજે એ વચન તેમણે પૂરૂં કરી બતાવ્યું છે.
શાળાનો અભ્યાસ પૂર્ણ થયો, પણ મનમાં દેશસેવા અને આધ્યાત્મિકતાનો અગ્નિ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને, સ્નાતક થયા બાદ તેમણે ઘર-પરિવારનો ત્યાગ કર્યો. બે વર્ષ સુધી સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો, હિમાલયની કંદરાઓથી લઈને ધાર્મિક કેન્દ્રો સુધી ફરીને ભારતની માટી અને ગરીબીને ખૂબ નજીકથી અનુભવી.
- સ્નાતક થયા બાદ તેમણે ઘર-પરિવારનો ત્યાગ કર્યો
- બે વર્ષ સુધી સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો
- આજે 140 કરોડ દેશવાસીઓની આશાનો આધાર
ચાના સ્ટોલ પરથી શરૂ થયેલી એ સફર આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નેતૃત્વ સુધી પહોંચી છે. વડનગરના ઋણથી લઈને રાષ્ટ્રના ઋણ સુધી—જે બાળકે બાળપણમાં અભાવો સામે ઝૂકવાનું ન શીખ્યું, તેણે આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.
વડનગરના રેલવે સ્ટેશનની ચાની કીટલીથી શરૂ થયેલી આ કહાની, સંઘર્ષમાંથી સંકલ્પ સુધીની કહાની છે. એક સામાન્ય પરિવારનું બાળપણ. જવાબદારીથી ઘડાયેલું વ્યક્તિત્વ. આ છે નરેન્દ્ર મોદીના શરૂઆતના જીવનની કહાની પણ આજે 140 કરોડ દેશવાસીઓનો આશાનો આધાર છે. સાહસ, અને અથાક પરિશ્રમનું બીજું નામ એટલે…નરેન્દ્ર દામોદરદાસ મોદી….
