
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠા રેખાઓ ખોરવાઈ ગઈ છે, અને પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર અસર વધતા ભાવમાં પ્રતિબિંબિત થાય છે. આ વચ્ચે, ભારત સરકારે ઇંધણ અંગે એક મોટો નિર્ણય લીધો છે: તેણે ઉચ્ચ સ્તરના ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી માફ કરી દીધી છે. પરિણામે, ઉચ્ચ ઇથેનોલ સામગ્રીવાળા પેટ્રોલ પર હવે એક્સાઇઝ ડ્યુટી લાગુ પડશે નહીં.
સરકારે લોકોને એક ખુશખબર આપ્યા છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. એટલે કે હવે 22% થી 30% ઇથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી નહીં લાગે. સામાન્ય જનતા માટે આ સમાચાર કોઈ ભેટથી ઓછા નથી. હવે ઇથેનોલવાળા સસ્તા પેટ્રોલની માંગ વધશે તો તેનો ફાયદો સામાન્ય જનતાની સાથે ખેડૂતોને પણ મળવાનો છે, કારણ કે ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી, મકાઈ અને બગડેલા અનાજમાંથી થાય છે.તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઇલની કિંમત એ હદે વધી રહી છે કે હવે તે 114 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આની સીધી અસર એ છે કે આયાત બિલ વધતું જઈ રહ્યું છે. આવા સમયે સરકારે વૈકલ્પિક ઇંધણ પર ભાર મૂક્યો છે, જેથી આયાતમાં ઘટાડો થઈ શકે અને રૂપિયાની સ્થિતિમાં પણ સુધારો થઈ શકે.
એક્સાઇઝ ડ્યુટી એટલે કે આબકારી જકાત એક પરોક્ષ ટેક્સ છે, જે કોઈ દેશની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ પર લગાવવામાં આવે છે. એક્સાઇઝ ડ્યુટી ખાસ કરીને દારૂ, તમાકુ અને પેટ્રોલિયમ જેવા ઉત્પાદનો પર જ લગાવવામાં આવે છે.
કયું ફ્યુઅલ સસ્તું છે, E85 કે E20?
દેશમાં E20 એટલે કે 20 ટકા ઇથેનોલ મિક્સ પેટ્રોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું, પરંતુ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે દેશને સુરક્ષિત રાખવા માટે તાજેતરમાં જ ભારતે E85 ફ્યુઅલને પણ બજારમાં લોન્ચ કરી દીધું છે. E85 ફ્યુઅલ એ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ છે. તમને જણાવી દઈએ કે E85 ફ્યુઅલ એ E20 કરતા 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું છે.
