
મહેસાણા જિલ્લાના અગત્યના ધાર્મિક સ્થળ બહુચરાજીને રાજ્ય સરકારે નગરપાલિકા તરીકે જાહેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે, 17 સપ્ટેમ્બરના રોજ આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં, બહુચરાજી વાસીઓને સુવિધાઓની ભેટ મળેલી ગણાય.
અત્યારે સુધી બહુચરાજી ગ્રામપંચાયતના ગોઠવણી હેઠળ હતું, જેના કારણે શહેર તરીકેની મહત્ત્વપૂર્ણ સુવિધાઓનો અભાવ અનુભવાતો હતો. નગરપાલિકા જાહેર થતા હવે પ્રાથમિક માળખાગત વિકાસ, સ્વચ્છતા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ જેવા મુદ્દાઓને વધુ સસ્તું અને અસરકારક રૂપે હલ કરી શકાશે.અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા રજૂ કરાયેલા નોટિફિકેશનમાં બહુચરાજીનું નગરપાલિકા તરીકેનું સ્વીકૃત સ્થાન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
બહુચરાજી માત્ર મહેસાણા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક જાણીતું યાત્રાધામ છે. અહીં દર વર્ષની હજારો ભક્તો માતાજી દર્શનાર્થે પધારે છે. નગરપાલિકા જાહેર થતાં યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં પણ મોટો સુધારો થશે.
રાજ્ય સરકારના આ પગલાથી બહુચરાજીનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. વેપાર, પ્રવાસન અને સ્થાનિક રોજગારના નવા દરવાજા ખુલશે. સ્થાનિક વાસીઓ અને યાત્રાળુઓ બંને માટે આ નિર્ણય આવકારદાયક સાબિત થશે.આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જાહેર થતાં સામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. હવે બહુચરાજી એક આધુનિક યાત્રાધામ તરીકે વિકસશે એવી સૌને અપેક્ષા.
