Site icon Time News

ખેડૂતો તારીખ નોંધી લેજો! આ 2 દિવસ ગુજરાતના માથે કમોસમી માવઠાનું સંકટ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર હવે કમોસમી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જેમાં આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મોટાભાગે વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે. આ આગાહીએ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતા વધારી છે. પાક તૈયાર થવાના સમયગાળામાં આવતો આ માવઠો ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ખેતી સાથે જોડાયેલા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

હવામાન અપડેટ મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જે કૃષિ અને દૈનિક જીવન બંને પર અસર કરી શકે છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પવન અને દરિયાઈ પરિસ્થિતિ અસ્થિર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે રાજ્યમાં કુલ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જે લાંબા ગાળે પાણી સંકટ અને કૃષિ પર અસર કરી શકે છે.

Indiaમાં મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ- બિહારના આગામી CM હશે સમ્રાટ ચૌધરી, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ખેડૂતો તારીખ નોંધી લેજો! આ 2 દિવસ ગુજરાતના માથે કમોસમી માવઠાનું સંકટ

Exit mobile version