
કોંગ્રેસ પાર્ટીએ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં જનઆંદોલનનું એલાન કર્યું છે. તેવામાં ભારતીય યુવા કોંગ્રેસ પહેલાથી જ NEET પેપર લીકને લઈને દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે, કોંગ્રેસ એક સાથે બે મુખ્ય મુદ્દાઓ પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
બંને નેતાઓએ જાહેરાત કરી કે, આગામી 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં દેશભરના દલિત અને લઘુમતી સમુદાયોના સંસદસભ્યો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ ભાગ લેશે.
જ્યારે જૂનના ત્રીજા અઠવાડિયામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બંને વિભાગોની એક મોટી સંયુક્ત બેઠક યોજાશે. પછી આ અભિયાનને અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે. આમ માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ જિલ્લા અને પાયાના સ્તરે પણ અભિયાન ચલાવાશે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, દેશમાં જ્યાં પણ કોઈ સંવેદનશીલ વ્યક્તિ પર અત્યાચાર થાય છે, ત્યાં બંને વિભાગોના નેતાઓ તેમને ટેકો આપવા માટે સાથે ઉભા રહેશે. જરૂર પડશે તો પીડિતોને કાનૂની સહાય, સામાજિક સહાય અને વહીવટી સહાય પૂરી પાડવામાં આવશે.
દિલ્હીમાં શનિવારે (6 જૂન) બે મુખ્ય કોંગ્રેસના વિભાગો અનુસૂચિત જાતિ વિભાગ અને લઘુમતી વિભાગની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ બંને વિભાગો ભાજપ સરકાર હેઠળ સમાજના નબળા વર્ગો સાથે થઈ રહેલા અન્યાય સામે સંયુક્ત રીતે દેશભરમાં અવાજ ઉઠાવશે.
