
IPL ૨૦૨૫ નો ખિતાબ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે આયોજિત વિજય પરેડ અને ઉજવણી દરમિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં ૧૧ નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ગંભીર ઘટના બાદ RCB વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે અને એક ધરપકડ પણ થઈ છે. આ સમગ્ર ઘટનાને કારણે RCB ટીમ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે, અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું BCCI IPL ૨૦૨૬ માટે RCB પર પ્રતિબંધ મૂકવા જેવો મોટો નિર્ણય લઈ શકે છે?
IPL ૨૦૨૫ નો ખિતાબ જીત્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આયોજિત વિજય પરેડ અને ભવ્ય ઉજવણીએ ગમગીન વળાંક લીધો છે. આ દરમિયાન, સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં ૧૧ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ ગંભીર ઘટના બાદ RCB વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે, અને આ કેસમાં એક ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને કારણે RCB ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
RCB ની વિજય પરેડમાં આટલી મોટી દુર્ઘટના અને તેમાં થયેલી ભૂલ માટે કોણ જવાબદાર છે તે શોધવા માટે હાલ તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે મોટો પ્રશ્ન એ છે કે જો આ ભૂલમાં RCB ટીમનું નામ સીધી રીતે આવે છે, તો તે આગળ શું નિર્ણય લેશે.
જણાવી દઈએ કે IPL માં બધી ફ્રેન્ચાઇઝી કોમર્શિયલ એન્ટિટી તરીકે કામ કરે છે, પરંતુ તેમની ભાગીદારી BCCI ના કરાર દ્વારા સંચાલિત થાય છે. આ કરારોમાં જાહેર સલામતી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ વિભાગો શામેલ છે. જો તપાસકર્તાઓ RCB મેનેજમેન્ટને આ ગંભીર બેદરકારી સાથે સીધી રીતે જોડે છે, તો BCCI ને ન્યાય આપવા અને લીગની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે RCB સામે મોટી કાર્યવાહી કરવી પડી શકે છે, જેમાં IPL ૨૦૨૬ થી પ્રતિબંધ મૂકવા જેવો નિર્ણય પણ શામેલ હોઈ શકે છે.
આ પણ વાંચો, Sonia Gandhi: સોનિયા ગાંધી શિમલાની IGMC હોસ્પિટલમાં દાખલ, તબિયત બગડતા જ CM સુખુએ…
