Site icon Time News

Ahmedabad plane crash: દુર્ઘટના સમયે 1000° સે. હતું તાપમાન; માનવી, પ્રાણી અને પક્ષીઓ બધુ જ રાખ..

ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે જ સમયે, એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની સારવાર ચાલી રહી છે. 

અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતદેહો રસ્તાઓ પર વિખરાયેલા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા હતા. તેમની ઓળખ પણ થઈ રહી નથી. એવામાં અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. આ દરમિયાન પ્લેનની અંદર અને આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે હાજર કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા ન હતા.

કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા ન હતા

ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્લેનની ઇંધણ ટાંકી ફાટતાની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી અને થોડી જ વારમાં તાપમાન 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આનાથી કોઈના બચવાનો કોઈ અવકાશ રહ્યો નહીં. પ્રાણીઓ અને પક્ષીઓને પણ બચવાનો મોકો મળ્યો ન હતો અને બધા બળીને રાખ થઈ ગયા હતા.’

ઉડાન સમયે પ્લેનની ઊંચાઈ 625 ફૂટ હતી. પ્લેન ક્રેશ થતાં જ તેના ઇંધણમાં આગ લાગી ગઈ. જોરદાર વિસ્ફોટથી તે ટાંકી ફાટી ગઈ, પ્લેન સળગી ગયું. દૂરથી ગાઢ કાળો ધુમાડો દેખાતો હતો. ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાઓ પર મૃતદેહો વિખરાયેલા હતા. મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. તેમની ઓળખ પણ થઈ શકી ન હતી.

આ પણ વાંચો, Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળ્યું

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version