Site icon Time News

Ahmedabad: SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850 કિલોલિટર જળસંચય કરશે

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે બાગાયતી વિસ્તારોમાં અત્યાધુનિક ક્લાઉડ-આધારિત સિંચાઈ શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ પગલું એરપોર્ટના જળ સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર 17 એકર લીલીછમ હરિયાળીને આવરી લેતી સ્માર્ટ સિંચાઈ પ્રણાલી દ્વારા સેન્સર અને રીઅલ-ટાઇમ હવામાન ડેટાના ઇનપુટ્સ સાથે દરેક છોડને તેની જરૂરિયાત મુજબ પાણી મળે છે. પાણીના વેડફાટને અટકાવવાની સાથે તે પર્યાવરણને હરિયાળું રાખે છે. આ સોલ્યુશન હવામાનને પારખી પાણી આપવાના સમયપત્રકને સ્વનિયંત્રિત કરે છે. તેનાથી પાણીનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ રહે છે. આ અત્યાધુનિક ટેકનોલોજી યોગ્ય સિંચાઈથી એરપોર્ટની હરિયાળી અને કુદરતી સૌંદર્ય જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે.

ક્લાઉડ-આધારિત સિંચાઈ પ્રણાલીના મુખ્ય ફાયદાઓમાં જોઈએ તો:


ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા સૂચવેલ ધોરણ:
શહેરી વિસ્તારોમાં ઘરેલુ પાણીના વપરાશ માટે IGBC 135 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ (LPCD) નો ઉપયોગ કરે છે. જેમાં પીવાનું, સ્નાન, ધોવા અને ફ્લશિંગ જેવી દૈનિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

મૂળભૂત આવશ્યકતાઓનો કોડ:
ભારતીય માનક કોડ 1172-1993 મુજબ (પાણી પુરવઠા, ડ્રેનેજ અને સ્વચ્છતા માટે) એક વ્યક્તિ પ્રતિ દિવસ 135 લિટર પાણીનો વપરાશ કરે છે.

આ પણ વાચો, Chhattisgarh: લગ્ન પછી પત્નીનું કોઈ બીજા સાથે અફેર હોય, તો છૂટાછેડા પછી તેને ભરણપોષણ નહીં મળે: હાઈકોર્ટ 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version