Site icon Time News

Ahmedabad પોલીસે મસ્કતથી આવેલા વેપારીને ધમકી આપી 20 હજાર રૂપિયા પડાવ્યા, ચાર સામે ગુનો દાખલ

અમદાવાદમાં પોલીસની તોડબાજીનો વધુ એક કિસ્સો નોંધાયો હતો. દારૂની બોટલો અને રૂપિયાનો પોલીસે તોડ કર્યો હતો.  પોલીસે વેપારી પાસેથી દારૂની બે બોટલ અને 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. મસ્કતથી આવેલા વેપારીને વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકી ચાર પોલીસકર્મીઓએ પાસપોર્ટ જપ્ત કરી કેસમાં ફસાવવાની ધમકી આપી તોડ કર્યાનો આરોપ છે. દોઢ લાખ રૂપિયાની માંગણી બાદ વીસ હજારના તોડ કર્યાનો આરોપ લાગ્યો હતો. ચાંદખેડા પોલીસના ચાર કર્મચારી સામે ગુનો નોંધાયો હતો. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે નિકોલમાં મુંબઈના વેપારી પાસેથી ચાર લાખ રૂપિયાના તોડના આરોપ લાગ્યા હતા.

મસ્કતથી પરત ફરેલા વેપારીને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો હતો. વેપારી એરપોર્ટથી વૈષ્ણોદેવી સર્કલ પર પહોંચ્યા હતાં. જ્યાં ચેકિંગના નામે પોલીસે કારને અટકાવી હતી. પોલીસના ચેકિંગમાં મસ્તકથી આવેલા વેપારી પાસેથી બે દારૂની બોટલ મળી આવી હતી. જેથી ચાંદખેડા પોલીસમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓએ દોઢ લાખ રૂપિયાના તોડની માંગ કરી હતી. જો રૂપિયા ન આપે તો પાસપોર્ટ જપ્ત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો હતો. આખરે બે દારૂની બોટલ અને વીસ હજાર રૂપિયાનો તોડ કરી વેપારીને જવા દેવાયા હતા. જોકે ભોગ બનનાર વેપારીએ આખરે આ મુદ્દે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ બે દિવસ પૂર્વે અમદાવાદના નિકોલમાં મુંબઈના વેપારી પાસેથી ચાર લાખ રૂપિયાના તોડના આરોપ લાગ્યા હતા. આ બનાવ હજુ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન છે ત્યાં વધુ એક તોડબાજીનો આરોપ લાગતો ખાખી વધુ એકવાર શર્મસાર થઈ છે.

આ પણ વાંચો, http://મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

https://www.instagram.com/timenewsguj

Exit mobile version