રથયાત્રામાં 20 હજાર પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો લોખંડી બંદોબસ્ત,3200 જેટલા CCTV દ્વારા લાઇવ ફીડથી રખાશે નજર

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્વક યોજાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં અમદાવાદ શહેરના 17500 પોલીસકર્મીઓ તેમજ 2500 જેટલા પેરામિલિટરી ફોર્સના જવાો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર લોકોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રા રૂટ પરના 3200 જેટલા CCTV અને ખાસ સોફ્ટવેરની મદદથી ભીડ પર નજર રાખવામાં આવશે. તેમજ રથયાત્રામાં 70થી વધુ ડ્રોનથી પણ લાઇવ ફીડ મેળવીને નજર રાખવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27મી જુનના રોજ યોજાશે ત્યારે ભારતની સૌથી લાંબી રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. જેથી રથયાત્રાના રૂટની સાથ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે ટેકનોલોજીની મદદ લેવાની સાથે લોખંડી બંદોબસ્ત માટે તૈયારીઓ પૂર્ણ કરી છે.

રથયાત્રાના રૂટ પર મુવિંગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમબન્રાન્ચની રહેશે. તેમજ કૂલ 17500 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ તૈનાત રહેશે. આ ઉપરાંત પેરા મીલેટરી ફોર્સ,હોમગાર્ડ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ સહિતના 2500થી વધુ જવાનો પણ બંદોબસ્તમાં હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *