India-Pakistan DGMO: ‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે (12 મે, 2025) પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ હતી. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી.

ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારના ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ ​​સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી.

સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સહમત થયા હતા કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને કહ્યું છે કે હવે તે આ યુદ્ધને આગળ લઇ જશે નહીં. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે 2021માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, જમ્મુ-જોધપુરથી લઇને ભુજ-રાજકોટ સુધી, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ અનેક શહેરોની ફ્લાઇટ કરી રદ્દ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *