કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં: ૧ કરોડ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક સંકલ્પ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે મોડી સાંજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ આગમન બાદ આવતીકાલે તેઓ રાજ્યમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમિત શાહ એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાના મહાઅભિયાનમાં જોડાશે અને વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદની સાયન્સ સિટી ખાતે યોજાનારી જાહેર સભાને પણ સંબોધિત કરશે.
13 તારીખે ગાંધીનગર સ્થિત NFSUના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ દહેગામ APMCના જાહેર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહના પ્રવાસને લઈને રાજ્ય તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.