ઇન્ડિગોની ચંદીગઢ- હૈગરાબાદ ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ:5 મુસાફરો ઘાયલ, બેગમાં રાખી હતી

હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 108માં મંગળવારે પાવર બેંકમાં બ્લાસ્ટ થયો. આનાથી 5 મુસાફરો ઘાયલ થયા. પાવર બેંક એક મુસાફરના બેગમાં રાખેલી હતી.
ઘટના તે સમયે બની જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પર ઊભી હતી. દુર્ઘટના પછી ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો જેનાથી મુસાફરો ગભરાઈ ગયા. મુસાફરોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા.
કેટલાક ફોટા પણ લોકોએ શેર કર્યા છે. જેમાં એક મહિલાને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સે તરત જ ફાયર સેફ્ટી ઉપકરણોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાવર બેંકમાં બ્લાસ્ટ કેવી રીતે થયો. પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીની ટીમો તપાસ કરી રહી છે.
ઇન્ડિગો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ વિમાન ખાલી કરાવવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં એરલાઇનની ટીમ તેમની સહાયતામાં વ્યસ્ત રહી.
એરલાઇન અનુસાર, વિમાનને ફરીથી સંચાલનમાં લાવતા પહેલાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવશે. ઇન્ડિગોએ જણાવ્યું કે યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E-108 (HYD-IXC) બપોરે 3:29 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. વિમાનમાં 198 મુસાફરો, બે બાળકો અને છ ક્રૂ સભ્યો હતા. ઉતરાણ પછી, વિમાન વે 1 નજીક આવી રહ્યું હતું ત્યારે, સીટ 39-Cમાં બેઠેલા એક મુસાફરે ક્રૂને તેની પાવર બેંકમાં આગ લાગવાની જાણ કરી. પાવર બેંકમાં વિસ્ફોટ થયો હોવાની શંકા હતી.
કેબિન ક્રૂએ તાત્કાલિક ફાયર સેફ્ટીથી વડે આગ ઓલવી નાખી પરંતુ વિમાનમાં ધુમાડો ફેલાઈ ગયો. સાવચેતી તરીકે કટોકટીના પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા.
બપોરે 3:35 વાગ્યે ક્રૂએ ઇમરજન્સી એક્ઝિટ ખોલી અને મુસાફરોને ફૂલી શકાય તેવી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા.
વાયુસેનાની ફાયર ટેન્ડર ટીમ બપોરે 3:38 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી.
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ જાન્યુઆરી 2026 થી ફ્લાઇટ દરમિયાન યાત્રીઓ પાવર બેંકનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ચાર્જ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
DGCA અનુસાર, પાવર બેંક અને અન્ય રિચાર્જેબલ ડિવાઇસમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ બેટરીઓ આગ લાગવાનું મોટું કારણ બની શકે છે. દુનિયાભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ફ્લાઇટ દરમિયાન લિથિયમ બેટરીઓ વધુ ગરમ થઈને આગનું કારણ બની છે.
પાવર બેંક અને વધારાની લિથિયમ બેટરીઓ ફક્ત હેન્ડ બેગેજમાં જ લઈ જવાની મંજૂરી છે. તેમને ઓવરહેડ કેબિન કે લગેજ રેકમાં રાખવા સખત મનાઈ છે. ઓવરહેડ કેબિનમાં આગ લાગવાની સ્થિતિમાં તેને સમયસર ઓળખવું અને ઓલવવું ખૂબ મુશ્કેલ હોય છે.
DGCA નું કહેવું છે કે હેન્ડ બેગની અંદર અથવા ઓવરહેડ કેબિનમાં રાખેલી બેટરીઓમાં ધુમાડો કે આગ લાગવાની શરૂઆત તરત દેખાતી નથી, જેનાથી કેબિન ક્રૂને સમયસર પ્રતિક્રિયા આપવામાં વિલંબ થઈ શકે છે અને મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.