AMCનું મેગા ડિમોલિશન, શહેરના આ વિસ્તારમાં 1000થી વધુ ગેરકાયદે મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. 1000 થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરશે. 20 થી વધુ જેસીબી સહિતની મશીનો દબાણ સ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 500 પોલીસ જવાન અને 500 એએમસી સ્ટાફ ડિમોલેશનની કામગીરીમાં જોડાશે. ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં જ અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે વિશાળી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટીપી સ્કીમ–25 હેઠળના ખોખરા–મહેમદાવાદ વિસ્તારમાં આ કામગીરી અમલમાં મૂકવામાં આવી. મળતી માહિતી મુજબ, ઈશ્વરકૃપા સોસાયટી અને રાધાકૃષ્ણ પાર્ક નજીક અનેક ગેરકાયદેસર માળખાં ઉભાં થયા હોવાના હિસાબથી ટીમે પગલું ભર્યું હતું. આ અભિયાન દરમિયાન 100 થી વધુ રહેણાંક તથા 5 કોમર્શિયલ બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ટીપી રોડ પર લાંબા સમયથી રહેલા દબાણો અને ગેરકાયદેસર ઓક્યુપન્સી દૂર કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી. રસ્તાઓ પર વધતી ગેરવ્યવસ્થા દૂર કરવા અને શહેરી આયોજનને ગતિ આપવા AMC એસ્ટેટ વિભાગે ક્રમશઃ વિસ્તારોમાં ચકાસણી કરીને કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. એસ્ટેટ વિભાગની આ કડક કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જોવા મળે છે, જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરી રહેલ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
થોડા સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, એક દિવસ અગાઉ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2.50 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. અત્યાર સુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.
AMC અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તળાવ આસપાસના દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવશે, તેમજ વોલ કર્યા બાદ અહીં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં ચંડોળા તળાવને ઉંડું કરવામાં આવશે. ઉપરાંત કાંકરિયાની જેમ 7 ફેઝમાં તળાવનો વિકાસ કરવામાં આવશે.
આ પણ વાંચો, વ્હાઈટ બિકીનીમાં હોટ લાગી શ્રીજિતા ડે, દરિયા કિનારે આપ્યા હોટ પોઝ