Site icon Time News

અમરનાથ યાત્રાના માત્ર 3 દિવસમાં જ 90% શિવલિંગ ઓગળી ગયું:ઊંચાઈ માત્ર એક ફૂટ બાકી રહી

અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ એક ફૂટ રહી ગયું છે. સોમવારે એક ફૂટના બાબા બરફાનીનો ફોટો સામે આવ્યો. 57 દિવસ ચાલતી યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી.

છેલ્લા 3 દિવસમાં 56 હજારથી વધુ યાત્રાળુઓ દર્શન કરી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં 18.6% વધુ રહ્યો.

2025માં પહેલા ત્રણ દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. યાત્રા માટે આ વર્ષે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

23 મેના રોજ BSFના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ 7 ફૂટ હતું. 29 જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. 6 જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ 90% ગાયબ થઈ ચૂક્યું છે.

48 કિમી લાંબા નૂનવાન-પહેલગામ રૂટ અને 14 કિમીના નાના પણ મુશ્કેલ બાલતાલ રૂટ પરથી સતત યાત્રીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રા 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને રજીસ્ટ્રેશન કરાવ્યા વિના અમરનાથ પહોંચી રહેલા યાત્રીઓને કહ્યું છે કે તેઓ પોતાની યાત્રા થોડા દિવસ માટે મુલતવી રાખે. પ્રશાસન મુજબ, 9 જુલાઈ સુધીના તમામ રજીસ્ટ્રેશન સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે.

આવી સ્થિતિમાં જો કોઈ યાત્રી રજીસ્ટ્રેશન વિના બાલતાલ કે પહેલગામ રૂટથી આગળ વધવાનો પ્રયાસ કરશે તો તેને ચેકપોઈન્ટ્સ પર રોકી દેવામાં આવશે. તેને 9 જુલાઈ પછી જ આગળ વધવા દેવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે રવિવારથી ફક્ત રજીસ્ટર્ડ યાત્રીઓને જ કાશ્મીર તરફ જવાની મંજૂરી આપવામાં આવશે.

અમરનાથના બાબા બર્ફાની કુદરતી રીતે બને છે, કોતરવામાં આવતા નથી

અમરનાથનું હિમ શિવલિંગ કોઈ બરફના બ્લોકને કોતરીને બનાવવામાં આવતું નથી, પરંતુ તે કુદરતી આઇસ સ્ટેલેગ્માઇટ છે. જેમ ચૂનાના પથ્થરની ગુફાઓમાં જમીનમાંથી ખનિજ જમા થઈને સ્ટેલેગ્માઇટ બને છે, તેવી જ રીતે અમરનાથ ગુફામાં છત પરથી ટપકતું પાણી જામીને બરફનું શિવલિંગ બનાવે છે.

તેનો આકાર દર વર્ષે હવામાન, તાપમાન અને પાણીની ઉપલબ્ધતા અનુસાર અલગ-અલગ હોય છે. આ જ તેની સૌથી અનોખી વિશેષતા છે.

શિવલિંગ ગાયબ થવાથી યાત્રા પર શું અસર પડશે, સમજો સવાલ-જવાબમાં…

1.સવાલ: શું શિવલિંગ ફરીથી બની શકે છે?

જવાબ: તેની શક્યતા ખૂબ ઓછી છે. તાજી બરફવર્ષા અથવા તાપમાન શૂન્યથી નીચે જાય તો જ તે ફરીથી બની શકે છે.

2. સવાલ: કુદરતી શિવલિંગ કેવી રીતે બને છે?

જવાબ: શિયાળા અને વસંતમાં ગુફાની અંદર પાણીના ટીપાં જામીને ધીમે ધીમે બરફનું શિવલિંગ બનાવે છે.

3. સવાલ: શું શિવલિંગ પીગળવાથી અમરનાથ યાત્રા અટકી જશે?

જવાબ: હાલમાં આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી. યાત્રા પહેલાની જેમ ચાલુ છે.

4. સવાલ: અત્યાર સુધીમાં કેટલા શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે?

જવાબ: યાત્રા શરૂ થયા પછી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કરી ચૂક્યા છે.

5. સવાલ: આ વર્ષે યાત્રા માટે કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે?

જવાબ: આ વર્ષે લગભગ 4 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Exit mobile version