Site icon Time News

Jammu and Kashmir: કાશ્મીરમાં 24 કલાકમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા, ૮ હજુ ગુમ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. આના પરિણામે, 24 કલાકમાં, સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા  એન્કાઉન્ટરમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને CRPFના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનની સફળતાની વાર્તા જણાવી હતી.

તેમણે કહ્યું કે તેમની પાસે આતંકવાદીઓ વિશે સચોટ માહિતી હતી, જેના કારણે બંને ઓપરેશન સફળ રહ્યા. આ દરમિયાન તેમણે આતંકવાદ સામેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.તાજેતરના આતંકવાદ વિરોધી કામગીરી અંગે IGP કાશ્મીર વીકે બિરદીએ જણાવ્યું હતું કે, “છેલ્લા 48 કલાકમાં, અમે બે ખૂબ જ સફળ કામગીરી હાથ ધરી છે. આ બે કામગીરી કેરન અને ત્રાલ વિસ્તારોમાં કરવામાં આવી હતી, જેના પરિણામે કુલ 6 આતંકવાદીઓનો ખાત્મો થયો હતો. અમે અહીં આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”સીઆરપીએફના આઈજી મિતેશે કહ્યું, “સૌપ્રથમ, હું આપણા સૈનિકો અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું જેમણે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી. સુરક્ષા દળોના સંકલન અને વ્યાવસાયિક અમલીકરણને કારણે આ શક્ય બન્યું છે. હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ સંકલન ભવિષ્યમાં પણ એવું જ રહેશે અને આ દ્વારા આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીશું. હું જનતાનો પણ તેમના સમર્થન માટે આભાર માનવા માંગુ છું અને આ સમર્થન સાબિત કરે છે કે તેઓ પણ ઇચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો અંત આવે.”

આ પણ વાંચો, BHUJ: ‘સરહદ પાર કર્યા વગર આતંકીઓના ઠેકાણા ઉડાવ્યા’, ભૂજમાં રાજનાથ સિંહ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version