Site icon Time News

આજથી રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાનોને તાળા: રેશન ડીલરો હડતાળ પર

 ગુજરાત રાજ્યની આશરે 17,000 થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો (રેશન ડીલરો) તેમની લાંબા સમયથી પડતર 20 મુખ્ય માંગણીઓ ન સંતોષાતા 1 નવેમ્બર, 2025 થી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી અળગા રહેવાની જાહેરાત કરી છે. ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ – ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન (GSFPSA) – દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ ₹3 કરવું (હાલમાં ₹1.50) અને મિનિમમ માસિક કમિશન ₹40,000 કરવું, તેમજ પરિવારના સભ્યને ઈ-પ્રોફાઈલ માં ઉમેરીને તેમના બાયોમેટ્રિકથી લોગીન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ થાય છે. આ હડતાળના કારણે નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.

ગુજરાત રાજ્યના આશરે 17 હજાર થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન (GSFPSA) દ્વારા આ આંદોલનની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ, રેશન ડીલરો નવેમ્બર-2025 માસ માટે જથ્થાના ચલન નહીં ભરે અને 1 નવેમ્બર, 2025 થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહીને અસહકારનું આંદોલન શરૂ કરશે. આ અંગેની જાણ સત્તાવાર રીતે પુરવઠા મંત્રી અને સંબંધિત સચિવ/નિયામકને લેખિતમાં કરવામાં આવી છે.

એસોસિએશનો દ્વારા કુલ 20 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેના પર સરકાર તરફથી કોઈ લેખિત કે મૌખિક પ્રતિસાદ ન મળતાં હડતાળનું પગલું ભરવાની ફરજ પડી છે. આ તમામ માંગણીઓમાં સૌથી અગ્રણી માંગણી કમિશન વધારવાની છે.

ટેક્નોલોજી અને સંચાલન સંબંધિત પણ ડીલરોએ મહત્ત્વની માંગણીઓ મૂકી છે, જે તેમના રોજિંદા કામકાજને સરળ બનાવશે.

વિતરણ અને તપાસ સંબંધિત મહત્ત્વની માંગણીઓ

રેશન ડીલરોએ માલની ઘટ અને સરકારી તપાસ સંબંધિત સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ લાવવાની માંગ કરી છે.

એસોસિએશને તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી રાજ્યમાં ઊભી થતી તમામ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના મહત્ત્વના હોદ્દેદારોએ આ આવેદનપત્ર પર સહી કરીને સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે, જેથી ગરીબ ગ્રાહકોને અનાજ મેળવવામાં મુશ્કેલી ન પડે.

Exit mobile version