દેશવિદેશ

CRPFના શહીદોને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના પુલવામા ફિદાયીન હુમલા બાદ શહીદ થયેલાં CRPFના 40 જવાનોના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યાંબાદ તેમના પાર્થિવ દેહની પરિક્રમા કરી હતી. અને  એરપોર્ટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કેટલાંક કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પુલવામાં હુમલા બાદ કાર્યવાહી પર એકમત કાયમ કરવા માટે દિલ્હીમાં સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. જમ્મુ કાશ્મીરમાં હુમલાની તપાસ માટે NIAની ટીમ પુલવામા પહોંચી ગઈ હતી. જ્યાં હુમલાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના નાલાસોપારા સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને જમ્મુના અનેક વિસ્તારોમાં શુક્રવારે કર્ફ્યૂ લાગ્યું હતું, જે આજે શનિવારે પણ યથાવત છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button