ધર્મભક્તિ

સૂર્યને જળ ચઢાવતા સમયે રાખવું જોઇએ આ વાતનું ધ્યાન

શાસ્ત્રોમાં પંચદેવ બતાવવામાં આવ્યા છે, તેમની પૂજા દરેક કામની શરૂઆતમાં કરવામાં આવે છે. આ પંચદેવ છે – શ્રીગણેશ, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્ય દેવ. સૂર્ય દેવ એક માત્ર સાક્ષાત દેખાતા દેવતા છે. રોજ સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સૂર્ય દેવને પ્રસન્ન કરવાની સૌથી સારી રીત છે સવારે સૂર્યોદયના સમયે અર્ઘ્ય અર્પિત કરવું. અહીં જાણો ગીતા પ્રેસ ગોરખપુર દ્વાર પ્રકાશિત સંક્ષિપ્ત પુરાણ અંકના બ્રાહ્મપર્વ મુજબ સૂર્ય પૂજા સાથે જોડાયેલી ખાસ વાતો –

– રોજ સવારે સૂર્યને પહેલી વખત જોતા સમયે સૂર્યના મંત્રોના જાપ કરવા જોઈએ.
મંત્ર – ऊँ सूर्याय नम:, ऊँ आदित्याय नम:, ऊँ भास्कराय नम:

– ઘરથી બહાર ક્યાંય જતી વખતે જ્યારે પણ સૂર્ય મંદિર દેખાઇ તો સૂર્ય દેવને પ્રણામ જરૂર કરો.

– સૂર્યને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ.

– સૂર્ય માટે રવિવારના ગોળનું દાન કરવું જોઈએ.

– જળ ચઢાવતી વખતે સૂર્યને સીધે ન જોવું જોઈએ. જળની ધારામાં સૂર્યદેવના દર્શન કરવા જોઈએ.

– જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં નથી, તેમણે સૂર્યને રોજ અર્ઘ્ય ચઢાવવો જોઈએ. તેનાથી સૂર્યના દોષ દૂર થઈ શકે છે.

– સૂર્ય દેવની કૃપાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

– જો તમે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છો છો અથવા અભ્યાસમાં મન નથી લાગતુ તો સૂર્યદેવના ગુરુ માનીને તેમની રોજ પૂજા કરો.

– જો તમે તાંબાથી બનેલી સૂર્યની પ્રતિમા ઘરમાં રાખશો અને રોજ તેના દર્શન કરશો તો તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button