National

ક્યારેક સુદામા તો ક્યારેક સંસદમાં નારદ બનીને આવતા,ટીડીપીના પૂર્વ સાંસદ શિવપ્રસાદનું અવસાન થયું

તેલુગુ દેશમાં પાર્ટીના પૂર્વ સાંસદ એન શિવ પ્રસાદનું આજે રોજ અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. તેની ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અને શિવપ્રસાદ સંસદમાં નારદ તરીકે અથવા તો સુદામા તરીકે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માંગ માટે જતા હતા. આને કારણે તેઓ સંસદમાં ખૂબ પ્રખ્યાત હતા.તેમને આ નામથી બોલાવામાં આવતા હતા. શિવપ્રસાદ 2009માં લોકસભાની ચુંટણી જીત્યા હતા. તેમનો જન્મ 11 જુલાઇ 1951માં થયો હતો.તેઓ એ ફિલ્મ જગતમાં પણ કામ કર્યું છે.

શિવપ્રસાદ આંધ્રપ્રદેશના દ્વિભાજનની વિરુધ્ધ સખ્ત વિરુદ્ધ હતા અને લોકસભામાં ઘણી વાર રજૂઆત કરી ચૂક્યા હતા. આંધ્રપ્રદેશના દ્વિભાજન વિરુદ્ધ સંસદમાં પ્રદર્શન કરવા બદલ તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા. આંધ્રપ્રદેશના દ્વિભાજન પછી, તેમણે સંસદ સંકુલમાં રાજ્યનો આર્કિટેક્ટ, બી.આર. આંબેડકરનો ડ્રેસ પહેરીને વિશેષ દરજ્જો મેળવ્યો.પંરતુ તેઓ સતત કાર્ય કરતા રહ્યા હતા.નાયડુએ કહ્યું કે પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓએ આ અઠવાડિયે દુનિયા છોડી દીધી છે, ટીડીપી માટે આ ખૂબ જ દુ:ખનો સમય છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button