Site icon Time News

India’s Got Latent Controversy: સમય રૈનાએ માફી માગી, કહ્યું- ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદે માનસિક હાલત બગાડી નાખી છે

સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યૂબર સમય રૈનાએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો સાથે સંબંધિત મુદ્દા માટે માફી માગી છે. રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને આપેલા નિવેદનમાં પોતાની ભૂલ સ્વીકારી છે. સમયે કહ્યું- શો દરમિયાન જે કંઈ થયું એના માટે હું માફી માગું છું. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને એ માટે તે વધારે સાવચેતી રાખીશ.

સમય રૈનાએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘મેં જે કહ્યું તેનો મને ખૂબ જ અફસોસ છે. તે વાત શોના ફ્લોમાં નીકળી હતી અને મારો આવું કહેવાનો કોઈ ઇરાદો નહોતો. પોતાની ભૂલ સ્વીકારતા, કોમેડિયને આગળ કહ્યું- મને ખ્યાલ છે કે હું જે બોલ્યો તે ખોટું હતું. સમય રૈનાએ અધિકારીઓને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તેઓ વધુ સતર્ક રહેશે. તેણે એ પણ ખુલાસો કર્યો કે આ વિવાદની તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી હતી અને વિવાદના કારણે કેનેડા પ્રવાસ પણ સારો રહ્યો નહીં.

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પરનો વિવાદ ચાલુ જ છે. સમયે 8 ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યૂબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. જેમાં યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર વાતો કહી હતી. એપિસોડ બહાર આવતાંની સાથે જ શો અને તેની સાથે સંકળાયેલા લોકોની ભારે ટીકા થવા લાગી. રણવીર વિરુદ્ધ મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ FIR નોંધાઈ હતી. સમય ઉપરાંત, શોના 30 એવા ગેસ્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમણે પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો, Rajkot: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી અંધશ્રધ્ધાઓ દૂર કરવા અભિયાન ચલાવશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version