National

ભારતીય વાયુસેનાએ ફાઈટર એરક્રાફ્ટ તેજસને કાશ્મીર મોકલ્યું: મોટું કારણ જાણો અહીં

ભારતીય વાયુસેના (IAF)એ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા એરબેઝ પર તેજસ MK-1 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તૈનાત કર્યું છે. સેનાનું કહેવું છે કે તેના પાઇલટ ઘાટીમાં ઉડાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

પડોશી દેશો ચીન-પાકિસ્તાનની દૃષ્ટિએ કાશ્મીર સંવેદનશીલ છે. તેજસ MK-1 એક મલ્ટિરોલ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે જે કાશ્મીરના જંગલ અને પહાડી વિસ્તારોમાં એરફોર્સને વધુ મજબૂત બનાવશે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં 31 તેજસ વિમાન છે. સેના તેના વિમાનોને પહેલા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ લઈ જતી રહે છે જેથી તેઓ હિમાલયની ઘાટીમાં ઉડવાની પ્રેક્ટિસ કરી શકે.

છેલ્લા પાંચ દાયકામાં 400થી વધુ મિગ-21 એરક્રાફ્ટના ક્રેશને કારણે ભારત સરકાર તેને બદલવા માગતી હતી. તેજસ મિગ-21ને બદલવામાં સફળ રહ્યું. ઓછા વજનને કારણે તે દરિયાઈ જહાજો પર પણ સરળતાથી લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે. એટલું જ નહીં તેની હથિયાર વહન કરવાની ક્ષમતા મિગ-21 કરતા બમણી છે. સ્પીડની વાત કરીએ તો તેજસ પાસે રાફેલ કરતા 300 KMPH વધુ સ્પીડ છે.

ફેબ્રુઆરી 2023માં પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફાઈટર એરક્રાફ્ટ તેજસને સૈન્ય અભ્યાસ માટે દેશની બહાર મોકલ્યું હતું. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી સંયુક્ત આરબ અમીરાતમાં ડેઝર્ટ ફ્લેગ નામની સૈન્ય કવાયત થઈ હતી, જેમાં ભારત તરફથી 5 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને 2 સી-17 સામેલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button