ગુજરાત

નર્મદા કેનાલમાં 4 યુવતીનો આપઘાત, 3 પરણિત અને 1 અપરણિત

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ઝંપલાવી 4 યુવતીનો આપઘાતનો ચકચારી કિસસ્સો સામે આવ્યો છે. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મીનાક્ષી, શિલ્પા, જમના અને હકી નામની યુવતીએ ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું સામે આવી રહ્યું છે. કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટ લખનાર મીનાક્ષીને વાલ્વની બીમારી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટ છે. બે યુવતીઓએ બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ પોતાની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.

ઠાકોર સમાજની બે યુવતીઓને બીમારી થતાં અંતિમ પગલું ભર્યું હતું. બંનેના વિરહમાં અન્ય બે બહેનપણીઓએ પણ અંતિમ માર્ગ અપનાવીને જીવન ટૂંકાવ્યું હતું.કેનાલ પાસે ચારેય યુવતીઓના ચપ્પલ મળ્યા હતા. સાથે જ સુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેમાં બેએ બીમારી અને બીજી બેએ વિરહમાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 4 યુવતીઓ ડૂબી હોવાના મેસેજ મળતાં જ તંત્રએ સ્થાનિક તરવૈયાઓને કેનાલમાં શોધખોળ માટે ઉતાર્યા હતા.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button