Site icon Time News

Gandhinagar: રાજ્ય સરકારની ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, વેકેશનમાં વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરિકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરિકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 2580 મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમે રૂ.21 લાખથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.1595 અને 4 દિવસની મુસાફરી રૂ.935 ભરીને કરી શકે છે, જ્યારે બાળકો 7 દિવસની મુસાફરી રૂ.800 અને 4 દિવસની મુસાફરી રૂ.470 ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે.

મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરીકોએ રૂ.1870 અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.1045 ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને 7 દિવસની મુસાફરી કરવા રૂ.935 અને 4 દિવસની મુસાફરી રૂ.525 ચૂકવવાના રહેશે.

AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરી રૂ.3685 અને 4 દિવસની મુસાફરી રૂ.2145 ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.1845 અને ચાર દિવસની મુસાફરી રૂ.1075 ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ.5610 અને ચાર દિવસની મુસાફરી રૂ.3245 ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ.2805 ચાર દિવસની મુસાફરી રૂ.1625 ખર્ચીને કરવાની રહેશે.

આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના ૧ દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરે ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.

આ પણ વાંચો, Ahmedabad: મણિનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી મૂળ માલિકને મુદ્દામાલ પરત કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version