દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ સહિત અનેક ફિલ્મોના સેટ કરનારા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં ફાંસો ખાધો

દેશમાં 58 વર્ષીય આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ કર્જતના એનડી સ્ટુડિયો રાતે 3 વાગ્યે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સ્ટુડિયોના સ્ટાફના જણાવ્યા અનુસાર, નીતિનએ રાતે 3 વાગ્યે આત્મહત્યા કરી હતી. નીતિન મોટાભાગનો સમય તેમના સ્ટુડિયોમાં જ વિતાવતા હતા.
કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે. 2005માં એનડી સ્ટુડિયો કર્જતમાં બનાવવામાં આવ્યો હતો.
પ્રથમ પ્રોજેક્ટના સેટ પર 13 દિવસ અને 13 રાત સુધી સતત કામ કર્યું
નીતિન દેસાઈએ 1987માં ટીવી શો ‘તમસ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તે સમયે જો તે 15 મિનિટ માટે નહાવા ગયા હોય તો પણ તેમને લાગ્યું કે તે તેની 15 મિનિટ વેડફી દીધી છે.
એનડી સ્ટુડિયોમાં ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં.
‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ માટે અમે એક કરોડ કાચનો મહેલ બનાવ્યો હતો’
આ સ્ટુડિયોમાં આમીર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં.
વૉન્ટેડ’, ‘બોડીગાર્ડ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘કિક’ જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મનું શૂટિંગ અહીં થયું છે. સલમાનને પ્રકૃતિની નજીક રહીને શૂટિંગ કરવાનું પસંદ છે, તેથી જ તેણે આ સ્ટુડિયો પસંદ કર્યો છે. તે ‘પ્રેમ રતન ધન પાયો’ માટે 90 દિવસ સુધી સેટ પર રહ્યો. આ ફિલ્મ માટે અમે એક કરોડ કાચનો મહેલ બનાવ્યો હતો. જ્યારે પણ સલમાન અહીં આવે છે ત્યારે તેમાંથી મોટાભાગના સમયે સુરક્ષા વગર સ્કૂટી પર ફરે છે.