National

મોદી સરનેમ વાળા કેસમાં રાહુલ ગાંધીને પટના કોર્ટનું સમન, આ તારીખે હાજર થવાનો આદેશ

બિહારની રાજધાની પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને સુરતના કેસની જેમ જ અન્ય એક માનહાનિ કેસમાં 12 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. અગાઉ સુરત કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગયા અઠવાડિયે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બિહારની રાજધાનીમાં એમપી, એમએલએ અને એમએલસી કોર્ટના વિશેષ ન્યાયાધીશે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. 

રાહુલ ગાંધી હાલમાં આ કેસમાં જામીન પર બહાર છે. તેમણે જણાવ્યું કે ‘ફરિયાદી પક્ષના તમામ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. હવે આ મામલો રાહુલ ગાંધીના નિવેદન માટે પેન્ડિંગ છે અને તેમનું નિવેદન નોંધવા માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 12 એપ્રિલે હાજર નહીં થાય અને તેમના વકીલ અંશુલ કુમાર આ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે બીજી તારીખ માંગી શકે છે. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button