AhmedabadCorona

ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. જ્યારે 45 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.અમદાવાદ કોર્પોરેશન – 83

મહેસાણા – 21

રાજકોટ કોર્પોરેશન – 13

અમરેલી – 9

સુરત કોર્પોરેશન – 9

સાબરકાંઠા – 8

રાજકોટ – 6

વડોદરા કોર્પોરેશન – 5

સુરત – 3

સુરેન્દ્રનગર – 3

આણંદ – 2

ભાવનગર – 2

ભાવનગર કોર્પોરેશન – 2

ગાંધીનગર – 2

ગાંધીનગર કોર્પોરેશન – 2

જૂનાગઢ કોર્પોરેશન – 2

પોરબંદર – 2

અમદાવાદ -1

ભરૂચ – 1

ખેડા – 1

મોરબી – 1

પાટણ – 1

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 179 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 655 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ઉપરાંત 4 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button