મનોરંજન
અમિતાભ બચ્ચને વચન પૂરું કર્યું, પુલવામા હુમલામાં શહીદ 49 જવાનોના પરિવારને કરી મદદ
બિહારના 2100 ખેડૂતોની લોન ભરપાઈ કર્યાં બાદ હવે અમિતાભ બચ્ચને ગુરૂવાર 13 જૂનના રોજ પુલવામા હુમલામાં શહીદ 49 જવાનોના પરિવારને પાંચ લાખ રૂપિયા આપ્યા હતાં. આ કાર્યક્રમમાં સીઆરપીએફના સીનિયર અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
અમિતાભ બચ્ચને બ્લોગમાં કહ્યું હતું, ‘અન્ય એક વચન પૂરું કર્યું. પુલવામા હુમલામાં જે બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો તેમના પરિવાર તથા પત્નીઓને આર્થિક રીતે મદદ કરી..સાચા શહીદ.’ વધુમાં અમિતાભે કહ્યું હતું, ‘તેઓ ઉદાસ થઈને આવ્યા, તેમના ચહેરા પર જીવનની નિરર્થકતા હતી. તેમણે પોતાનાને ગુમાવ્યા છે. પતિ, ઘરનો દીકરો, કેટલીક મહિલાઓ પોતાના સંતાનો સાથે આવી, કેટલીક માતા બનવાની છે. આ તે બહાદુર જવાનોનો પરિવાર છે, જેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો.