Site icon Time News

Ahmedabad: સાયન્સ સિટીમાં ‘વર્લ્ડ મીટિયરોલોજિકલ ડે’ અંતર્ગત વિદ્યાર્થીઓને હવામાન વિજ્ઞાન અંગે જાગૃત કરવામાં આવ્યાં

ગુજરાત સાયન્સ સિટી ખાતે વર્લ્ડ મીટિયરોલોજિકલ ડે ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હવામાન વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવો અને હવામાન બદલાવના વિજ્ઞાનને સમજાવવાનો હતો. વિશ્વ હવામાન દિવસની ઉજવણી અંતર્ગત, ડૉ. હાર્દિકકુમાર ચૌધરીએ “Life Through the Lens of Meteorology: Forecasting a Better Tomorrow” વિષય પર પ્રવચન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને હવામાન વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા અને હવામાન આગાહીના મહત્વ વિશે માહિતગાર કર્યાં હતા.

તેઓએ સમજાવ્યું કે કેવી રીતે હવામાનવિજ્ઞાન આપણા દૈનિક જીવન પર અસર કરે છે અને કેવી રીતે આધુનિક ટેક્નોલોજી હવામાન આગાહીને વધુ નિર્ભર બનાવી રહી છે. હવામાનના અનિયમિત મિજાજને પહોંચી વળવા માટે અને પર્યાવરણને સંરક્ષિત કરવા માટે વિદ્યાર્થીઓએ કયા પગલાં ભરવા જોઈએ તે અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓ માટે ખાસ “એનર્જી પાર્ક” ખાતે સ્થિત ઑટોમેટિક વેધર સ્ટેશન (AWS) ની મુલાકાત યોજાઈ, જ્યાં ડૉ. હાર્દિકકુમાર ચૌધરીએ હવામાન માપન માટે ઉપયોગમાં લેવાતા વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને સેન્સરોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રવાસ દરમિયાન, IMD (Indian Meteorological Department) કેવી રીતે AWS દ્વારા હવામાન ડેટા એકત્ર કરે છે અને તેનું વિશ્લેષણ કરીને આગાહી તૈયાર કરે છે તે વિષય પર એક વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટે કેટલીક રસપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું, જેમાં:

વિદ્યાર્થીઓએ હવામાન આગાહી માટે વપરાતા ડોપ્લર રાડાર, સેટેલાઇટ ઇમેજિંગ, પાયલટ બલૂન, અને અન્ય આધુનિક સાધનો વિશે હાથે-હાથ અનુભૂતિ મેળવી હતી. વિશ્વ હવામાન દિવસની ઉજવણી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં હવામાન વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગી અને તેઓ હવામાન અને પર્યાવરણ સંબંધિત વિષયોમાં વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે પ્રેરાઈ શક્યા હતા.

આ પણ વાંચો, Ahmedabad: ઝોન 6ના 4 પોલીસ સ્ટેશનોમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ, 17.53 લાખનો માલ મૂળ માલિકોને પરત કરાયો

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version