અમદાવાદ

અમદાવાદ: RTO કચેરીમાં લાયકાત ન ધરાવતા વ્યક્તિઓને પણ લાયસન્સ આપ્યા

અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં સારથી-4 સોફ્ટવેરમાં ચેડાં કર્યાના બનાવનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 84 લોકોના લાયસન્સમાં ક્લાસ વધારી દીધા છે. ગઈ 28 ડિસેમ્બરે અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે 25 ડિસેમ્બરે 81 અને 26મી ડિસેમ્બરેએ થયેલી 3 એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી હતી. જે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરટીઓ કચેરીમાં નાતાલની રજા વખતે કોઈ અજાણી વ્યક્તિએ સારથી-4 સોફ્ટવેરમાં લોગ ઇન કરી લાયસન્સધારકના ક્લાસમાં વધારો કરી દીધો હતો. જેમાં હેવી વેહિકલ માટે આઠ ધોરણની લાયકાત હોય છે પરંતુ તેવી લાયકાત ન ધરાવતા વ્યક્તિઓને પણ લાયસન્સ આપી દેવામાં આવ્યા હતા.

જેમાં 84 જેટલા ખોટા લાયસન્સ ઈસ્યુ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ એન્ટ્રી બેકલોગ એટલે કે 2010 પહેલાના ડેટામાં એન્ટ્રી થયેલી છે તે જાણવા મળ્યું હતું આ બાબતે ક્લાર્ક અને આરટીઓ ઇન્સ્પેક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ એન્ટ્રી થઈ નથી અને કોઈ ઓટીપી પણ આવ્યો નથી. ત્યારે 26મીડિસેમ્બરેએ વહેલી સવારે છ વાગ્યે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી આગળના કાર્યવાહી હાથ ધરી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button