Ahmedabad

અમદાવાદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના મેઘાણીનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારામાં ચકચાર મચી ગઇ છે. અમરાજી નગરની ચાલીની ત્રણ નંબરની શેરીમાં આ ઘટના બની હતી. હુમલાખોરે માથા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ  હાથ ધરી છે.   

  મળતી માહિતી મુજબ લલ્લા ભાદરિયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ મૃતક અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ઘટના બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.     

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button