પ્રમોશનલ ટ્વીટ પર ટ્રોલ થયો હતો વિરાટ, શહીદોને આપી શ્રદ્ધાંજલિ
જમ્મૂ-કાશ્મીરના પુલવામા રાજમાર્ગ પર ગુરૂવારે થયેલા આતંકી હુમલાને ભારતીય ક્રિકેટરોએ ટ્વીટ કરી નિંદા કરી છે અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. સાથે સાથે શહીદોના જવાનોના પરિજનો સાથે સંવેદના વ્યક્ત કરી છે આ એક એવો સમય છે જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. સમગ્ર દેશ અત્યારે શોક મગ્ન છે. આ નાજૂક ક્ષણો પર ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ભારતીય ક્રિકેટર આ ઘટના બાદ સ્તબ્ધ રહી ગયા છે. વિરાટ કોહલીએ આ મામલાને લઈને દુખ વ્યક્ત કર્યુ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને કહ્યુ કે પુલવામા થયેલા હુમલા અંગે સાંભળીને સ્તબ્ધ થયો છુ. શહીદ સૈનિકો પ્રત્યે હાર્દિક સંવેદના અને ઘાયલ જવાનો ટૂંક સમયમાં સ્વસ્થ થાય તેવી કામના કરૂ છુ.
I’m shocked after hearing about the attack in Pulwama, heartfelt condolences to the martyred soldiers & prayers for the speedy recovery of the injured jawaans.
— Virat Kohli (@imVkohli) February 15, 2019
વિરાટ કોહલીએ આ ટ્વીટના માધ્યમથી કહ્યુ કે આતંકી હુમલાથી દેશ શોકમાં છે. કોહલીએ આટલુ મોડુ ટ્વીટ કરતા તેના પ્રશસંકો ખુબજ નારાજ થયા છે. ભારતીય કેપ્ટનની આકરી ટીકાઓ પણ આ મામલે થઈ છે. ગુરૂવારે દેશ શોકમાં મગ્ન હતો ત્યારે કોહલી સ્પોર્ટસ ક્લબની એડ કરતા દેશની જનતા થોડી નારાજ થાય તે સ્વાભાવિક છે. ટ્વીટર પર આ મામલે તેને ટ્રોલ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ આતંકી હુમલા પછી ઈન્ડીયન સ્પોર્ટ્સ ઓનર માટે ટ્વીટ કરી વોટ માંગી રહ્યા હતા.